મોરબીમાં 31 જુલાઈએ એક શામ મહમદ રફી કે નામ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 31 જુલાઈના રોજ એક શામ મહમદ રફી કે નામ કાર્યક્રમ યોજાશે.

31 જુલાઈ ને બુધવારના રોજ રાત્રે 7 થી 11 કલાક સુધી લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના ડો. બી.કે. લહેરૂ તથા નિકંજુભાઈ રેડીઓ સેન્ટરવાળા તરફથી સ્વ. ગાયક કલાકાર રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાયક કલાકાર નૌશાદમીર તરફથી મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાનમાં જાહેર જનતા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર કાપડ બઝારના વેપારી બાદશાહ ઓ.પી. મહેશ્વરી હાજરી આપશે. તો સર્વે લોકોને પધારવા આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમ બાદ નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.

- text

- text