મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરૂવારે વીજકાપ

- text


મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં તારીખ 25/07/2024ને ગુરુવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.

- text

જેમાં ગજાનંદ JGY વિસ્તારમાં સવારે 9 થી બપોરે 2 કલાક દરમ્યાન તથા કૈલાશ ખેતીવાડી વિસ્તારમાં સવારે 9:00 થી સાંજે 5:00 કલાક સુધી કાલિકાનગર ગામ તથા આસપાસ નો વિસ્તાર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text