વાંકાનેરના માધવ ગૌ સેવા ગ્રુપે ગૌ વંશોને 51 ગુણી ખોળ ખવડાવ્યો

- text


વાંકાનેર : શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત સરધારકા રોડ પર આવેલ પલાંસડી વીડી ખાતે માધવ ગૌ સેવા ગ્રુપ- વાંકાનેર દ્વારા ગત તા. 17 જુલાઈ ને અષાઢ સુદ અગિયારસનાં પવન દિવસ નિમિત્તે 51 ગુણી ખોળ ગૌમતા અને ગૌ વંશોને ખવડાવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે.

આ તકે માધવ ગૌ સેવા ગ્રુપ વાંકાનેરનાં દરેક મેમ્બર પરિવાર સાથે રહીને પોતાના હાથે ગૌવંશને ખોળ ખવડાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રંસગે મિતુલ પરમાર, સાગર કાગડા, રાહુલ ગુગડિયા, કિશન ગોહેલ, અજય સોની, રાજ સોમાણી, જયદીપ ત્રિવેદી, હિમાંશુ કાગડા, રવી કંસારા, વિમલભાઈ, પ્રશાંત ગૌસ્વામી, રાજ દોશી, રવી દલસાનીયા, ભવન ભટ્ટ, ભાવેશ જોબનપુત્રા, વિપુલ જોબનપુત્રાએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થા તરફથી કલ્પેંદુભાઈ લલિતભાઈ મહેતા, અજય આચાર્યએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.

- text

- text