મોરબીના અણીયારી ગામે ખેતશ્રમિક પરિણીતાનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં ઠાકરશીભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા લીલાબેન બહાદુરભાઈ ભાભોર ઉ.23 નામની ખેતશ્રમિક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ સંતાનમાં એક બે વર્ષનો દીકરો હોવાનું જાણવા મળે છે.

- text

- text