Morbi : જેતપરના રામજી મંદિરે 21 જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે આવેલા રામજી મંદિરે આગામી તારીખ 21 જુલાઈ ને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી થશે. ગુરુપૂર્ણિમા નિમિત્તે જેતપરના રામજી મંદિર ખાતે સવારે 8-30 કલાકે ગુરુ ચરણ પાદુકા પૂજન વિધિ તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને શ્રી રામજી મંદિર જેતપર (મચ્છુ)ના પૂજારી તથા સમસ્ત સેવક ગણ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text