મોરબી બ્રહ્મ સમાજ દ્વારા શનિવારે કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

- text


મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ- મોરબી દ્વારા આગામી તારીખ 20 જુલાઈ ને શનિવારે કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

20 જુલાઈ ને શનિવારે રાત્રે 8-30 કલાકે મોરબીના નવલખી રોડ પર ભગવાન શ્રી પરશુરામ ધામ ખાતે કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શબ્દ, સૂર, લય, તાલ અને હાવભાવના પંચામૃત દ્વારા મોરબીના 6 થી 76 વર્ષની ઉંમરના બ્રહ્મ કલાકારો જુના-નવા, ફિલ્મી-નોનફિલ્મી ગુજરાતી-હિંદી, શાસ્ત્રીય-લોક-રોક ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌ બ્રહ્મ બંધુઓને સહપરિવાર પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text