મોરબીમાં ખૂંટિયાઓ તોફાને ચડ્યા ! 10 કારને અડફેટે લઈ લીધી

- text


રવાપર – લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં બનેલો બનાવ

મોરબી : મોરબીના રવાપર – લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક તોફાને ચડેલા ખૂંટિયાઓએ દસ જેટલી કારને અડફેટે લેતા વાહન માલિકોને વગર વાંકે નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.

મોરબી શહેરમાં નગર પાલિકા દ્વારા રસ્તે રઝડતા ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ હોય લાંબા સમયથી આખલાઓ સહિતના રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે રવાપર – લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક ખૂંટિયા તોફાને ચડતા દસ જેટલી કારને હડફેટે લેતા કારોમાં ભારે નુકશાની થઇ હતી. વધુમાં આ ઘટનાને પગલે વાહન માલિકોને વગર વાંકે નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.

- text

- text