મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 23 જુલાઈના ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીમાં દુર્લભ પાર્ટી પ્લોટ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર વાણસા સંસ્થા SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 23 જુલાઈ 2024ને મંગળવારના રોજ સાંજે 5:30 થી 9 કલાક દરમ્યાન ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં સાંજે 5:30 કલાકે મોરબીના આંગણે પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજીનું ભવ્ય સામૈયું અવની ચોકડીથી પ્રારંભ થશે. 6:30 થી 7:30 કલાક દરમ્યાન ગુરુજીના નિકટ દર્શન અને પૂજનનો લાભ મળશે. 7:30 થી 9 કલાક દરમ્યાન ગુરુજીના આશીર્વાદ તથા રાત્રીના 9 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ દિવ્ય અવસરનો લાભ લેવા સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text