- text
મોરબી : ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો પશુઓ સહિતના અન્ય જીવો આપણી જવાબદારી છે તેવુ માનીને લાલપરના ખોડીયાર મંદીરે ગાયો અને શ્વાનો માટે અનોખું અન્નક્ષેત્ર ચાલે છે.
લાલપર ગામના ખોડિયાર મંદિરે સંતકૃપા ગૃપ દ્વારા દર અઠવાડિયે અઢીથી ત્રણ મણ લાડવા બનાવવમાં આવે છે. બાદમાં તેનું ગાયો અને શ્વાનોને વિતરણ કરવામાં આવે છે. આ સેવા કાર્યોમાં અનિલ અઘારા મગનભાઈ, આશારામભાઈ, રતિલાલ અઘારા, પ્રવીણભાઈ અઘારા, ઠાકરશીભાઈ પટેલ સહિતના સેવાભાવીઓ જોડાયેલા છે.
- text
- text