શનાળામાં સરસ્વતી શિશુ મંદિર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનું વિદ્યાર્થીઓ માટે વિશેષ આયોજન

શનાળા : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સરસ્વતી શિશુ મંદિર શનાળા ખાતે આજે તારીખ 18-7-2024ના રોજ વિદ્યાર્થી ગ્રાહકઘટનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ નેહા તાઈ જોષી અને પ્રાંત કાર્યકર્તા સીમાબેન મહેતાએ કર્યું. આ કાર્યક્રમની શરૂઆત ભારત માતા પૂજન અને ગ્રાહક ગીતથી થઈ હતી.

આ ગ્રાહકઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પી.પી.ટી. દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યા ભારતીના વાલી જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. તેમજ પ્રધાન આચાર્ય સુનિલભાઈ પરમાર દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહકપંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 150 વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

- text

- text