હળવદના પાટીયા ગ્રુપ દ્વારા સ્નેક રેસ્ક્યુયરનું સન્માન કરાયું

- text


વિશ્વ સર્પ દિવસ નિમિત્તે એમ.ડી. મહેતા અને રાજુભાઈ ધામેચાને સન્માનિત કરાયા

હળવદ : છેલ્લા 15 વર્ષમાં 8000થી વધુ સર્પના જીવ બચાવવામાં નિમિત્ત બનતા જીવદયાપ્રેમી – ઘાયલ સર્પને પશુ ડોકટર પાસે લઈ જઈ સારવાર કરાવતા સ્નેક રેસ્ક્યુયર એમ. ડી. મહેતા અને રાજુભાઈ ધામેચાનું હળવદના પાટીયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વ સર્પ દિવસ નિમિતે હળવદના પાટિયા ગ્રુપ દ્વારા જીવદયા પ્રેમી અને સ્નેક રેસ્ક્યુયર એમ.ડી. મહેતા અને રાજુભાઈ ધામેચાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના વિવિધ રહેણાક વિસ્તારમાંથી નિઃશુલ્ક સાપનું રેસ્ક્યુ કરી અને પ્રાકૃતિક ખુલ્લી જગ્યાએ મુક્ત કરવામાં આવે છે. આ રીતે આ બંને જીવદયા પ્રેમીઓ હળવદની જનતાની અને હળવદ વિસ્તારમાં રહેતા સર્પોની નિસ્વાર્થ સેવા કરે છે. જેથી પાટિયા ગ્રુપના સભ્યો દ્વારા આ વિશેષ સેવા બદલ બંને સેવાભાવી વ્યક્તિનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતુ.

2019ની સાલમાં વન વિભાગ દ્વારા એમ.ડી.મહેતા અને રાજુભાઇ ધામેચાનું બજાણા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા પણ સિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. જો આવા સેવાભાવી લોકો સર્પનું રેસ્કયુ ના કરે તો લોકો ભયભીત થઈને તેને મારવા માટે મજબૂર થતા હોય છે. અને હળવદમાં આ બંને સેવાભાવી વ્યક્તિ તદન નિઃશુલ્ક રીતે આ સેવાકાર્ય કરી રહ્યા છે અને ઘાયલ સર્પને પશુ ડોકટર પાસે લઈ જઈને સારવાર પણ કરાવે છે. જ્યારે રહેણાક વિસ્તારમાં સર્પ દર્શન દે ત્યારે આસપાસના વિસ્તારના લોકો ડરના લીધે તે વિસ્તારથી દુર થઈ જતાં હોય છે. ત્યારે આવા સમયે આ સેવાભાવી લોકોને ફક્ત એક ફોન કરતાં જે તે સ્થળે આવી સ્નેકનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી માનવતાની મહેક પ્રસરાવે છે. આગામી સમયમાં આ બંને સેવાભાવી વ્યક્તિ પાસેથી અન્ય યુવાનો પ્રેરણા લઈ અને ભવિષ્યમાં પ્રકૃતિના રક્ષણ માટે કટિબદ્ધ બને તે જરૂરી છે.

- text

- text