ઝીંઝોડાની સિદ્ધ સંત કાનસ્વામી મહારાજની જગ્યાએ ઉજવાશે ગુરુપૂર્ણિમા મહોત્સવ

- text


મોરબી : ઝીંઝુડા ખાતે આવેલી ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામી મહારાજની જગ્યા ખાતે ધામધૂમથી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

આગામી તારીખ 21/7/2024 ને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા હોય ત્યારે વિવિધ ગુરુ ભગવંતોના સ્થાનકો, જગ્યા તેમજ મંદિરોમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે ઝીંઝુડા ખાતે આવેલી ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામીની જગ્યાએ પણ ગુરુપૂણિમા મહોત્સવ ઉજવાશે. કાર્યક્રમ અંતર્ગત સવારે 9:30 કલાકે ગુરુ વંદના, 10:30 કલાકે પાદુકા પૂજન, 12:00 કલાકે આરતી, 12:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ મહોત્સવનો સર્વે ધર્મપ્રેમીઓને લાભ લેવા મહંત શ્રી સરસ્વતી માતાજી તથા સેવક પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text