- text
લખધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં બનેલ બનાવ
મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી પરિણીતાએ સવા મહિના પૂર્વે લગ્ન કર્યા બાદ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓરેન્ટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી સંતરબેન વિદેશભાઈ ડામોર ઉ.21 નામની પરિણીતાએ સવા મહિના પૂર્વે લગ્ન કર્યા બાદ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text