મોરબીના શાંતિવન આશ્રમમાં 21 જુલાઈએ ગુરૂપૂર્ણિમા મહોત્સવનું આયોજન 

- text


મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ, રતનેશ્વર મહાદેવ ખાતે શ્રી કેશવાનંદ બાપુ ગુરુદેવ શ્રી મહેશ્વરાનંદ બાપુના સાનિધ્યમાં તારીખ 21-7-2024 ને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે 21 જુલાઈના રોજ સવારે 7 કલાકે ગુરુપૂજન તથા ગુરુયાગનું આયોજન કરાયું છે. બપોરે 11 કલાકે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણની કથા તેમજ રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીનો કાર્યક્રમમાં ભજનીક લલીતાબેન ઘોડાદ્રા, દલસુખભાઈ પ્રજાપતિ, ઉસ્તાદ લાલાભાઈ (રાજકોટવાળા), હરીરામ સાધુ, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, વાયોલીન વાદક રાહુલભાઈ મકવાણા તેમજ સ્ટેજ સંચાલક તરીકે શૈલેષભાઈ રાવલ હાજરી આપશે. તો આ સમગ્ર કાર્યક્રમ તેમજ સંત દર્શનનો લાભ લેવા શાંતિવન આશ્રમના શ્રી કલ્યાણાનંદ બાપુ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text