આવતીકાલે બુધવારે મોરબીમાં તાજીયા (જુલુસ) વિસર્જન કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : પવિત્ર મહોર્રમ પરંપરાગત તાજીયા (જુલુસ) નિમિત્તે કોમી એકતાના પ્રતીકરૂપે ઈઝરત ઈમામ હુસૈન (શહીદે કરબલા)ની યાદમાં આવતીકાલે તારીખ 17 જુલાઈ ને બુધવારના રોજ મોરબીમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તાજીયા (જુલુસ) વિસર્જન કાર્યક્રમ યોજાશે.

17 જુલાઈના રોજ રાત્રે 9-30 કલાકે મોરબીના નહેરુ ગેઈટ ચોક ખાતે મોહર્રમ તાજીયા (જુલુસ) વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા સર્વેને સૈયદ અબ્દુલ રશીદમીંયા હાજી મદનીમીયાબાપુ કાદરી અને સૈયદ હાજી સીકંદરમીંયા હાજી મદનીમીંયાબાપુ કાદરી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text