મોરબીમાં ગીરનારી આશ્રમ ખાતે 21 જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન

- text


મોરબી : શ્રી સદગુરુ દેવ પ્રયાગગીરી મહારાજ ગુરુદેવ મદાનગીરી મહારાજના સાનિધ્યમાં તારીખ 21-7-2024 ને રવિવારના રોજ ગીરનારી આશ્રમ, ગંગેશ્વર મહાદેવ, લીલાધર રોડ, મોરબી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં તારીખ 20 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભજન મંડળ દ્વારા સીતારામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તારીખ 21 ને રવિવારના રોજ સવારે 9 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે. 9:30 કલાકે ગુરુપૂજન, સવારે 10 થી 12 કલાક દરમ્યાન મોરબી ગોપી મંડળ દ્વારા મારુતિ સુંદરકાંડ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text