દીકરી CAની પરીક્ષામાં ઉતિર્ણ થતા ઠક્કર પરિવારે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજ્યો

- text


મોરબી : મોરબીના ગીતાબેન રાજેશભાઈ ઠક્કરે દીકરી અંકિતા ઠક્કર CAની ફાઈનલ પરીક્ષામાં ઉતિર્ણ થતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું અને સેવાકાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે અંકિતા ઠક્કર CA ફાઈનલની પરિક્ષામાં ઉતિર્ણ થતાં તેમની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરવામાં આવી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના સંતાનોની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમની સુપુત્રી અંકિતાની શૈક્ષણિક સિદ્ધિની ઉજવણી પ્રસંગે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ-શ્રી લોહાણા મહાજન, મોરબી), ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ સન્માનિત કરી શુભકામના પાઠવી હતી.

- text

- text