વાંકાનેરના ભોજપરામા મંદિર બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી

- text


વાદી વસાહતમાં બનેલ બનાવ અંગે સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા બે પરિવારો વચ્ચે માતાજીના મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાના ખારમાં ફરી ઝઘડો થતા બન્ને પક્ષે પાઇપ, લાકડી, લોખંડના સળિયા અને કુહાડી વડે હુમલો કરાતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા ખાતે વાદી વસાહતમાં રહેતા વિજયનાથ પોપટનાથ બામણીયાએ આરોપી (૧) બહાદુરનાથ સુરમનાથ પરમાર (૨) જલાનાથ બોળાનાથ પરમાર (૩) જાનનાથ સુરમનાથ પરમાર (૪) રોબરનાથ સુરમનાથ પરમાર (૫) કરશનનાથ પોપટનાથ પરમાર અને (૬) પોપટનાથ પરમાર રહે. બધા વાદી વસાહત મોટા-ભોજપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો આરોપીઓ સાથે જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ લોખંડના સળીયા વડે કપાળના ભાગે ઇજા કરી ઢીકાપાટુનો શરીરે મુંઢમાર મારી મારતા ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામાપક્ષે જોગનાથ કાળુનાથ પરમાર, ઉ.૬૦, રહે. વાદી-ભોજપરા વાળાએ આરોપી (૧) મીરખાનનાથ સમજુનાથ બાભણીયા (૨)ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા (૩)ધરમનાથ ભોટનાથ બાભણીયા રહે.બધા વાદી-ભોજપરા તા.વાંકાનેર તથા (૪)કેશનાથ કાનનાથ બાભણીયા (૫)કરશનનાથ કાનનાથ બાભણીયા (૬)ભુપતનાથ મીરખાન બાભણીયા રહે.સારાણા ગામ તા.થાન તેમજ (૭)ગોરખનાથ કાનનાથ બાભણીયા (૮)રમતુનાથ ગોરખનાથ બાભણીયા રહે.જારીયા મહાદેવના બોર્ડપાસે વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે માતાજીનાં મંદીર બાબતનો અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ લાકડી વડે ફરીયાદીને માથાના ભાગે તેમજ લોખડના પાઇપ વતી ડાબા પગના નળા ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી હતી તેમજ આરોપીઓએ ઇજાપામનાર સાહેદોને લાકડી તથા લોખડના પાઇપ તથા કુહાડી વડે માર મારી શરીરે મુઢ ઇજા કરી સાહેદ ઝવેરનાથનને માથાના ભાગે ભંયકર હથીયાર વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text