- text
મોરબી : મોરબીના ઉદ્યોગપતિ ધીરજલાલ પરેચાએ વૃક્ષારોપણ કરી ધરતીમાતાનું ઋણ અદા કરવાના ઉત્તમ ઉદ્દેશ્યથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
મોરબીની ટીમ ગ્રીન આર્મીના પાયાના પથ્થર કિરીટભાઈ પરેચાના મોટાભાઈ ધીરજલાલ જેરામભાઈ પરેચાના 51માં જન્મદિવસે પરેચા પરિવાર અને ટીમ ગ્રીન આર્મીએ સાથે મળીને 51 વૃક્ષનું ધરતીમાતાની ગોદમાં રોપણ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દિવસે ને દિવસે પૃથ્વી પર તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સુષ્ટિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિમાતાનું ઋણ ચુકવવાના હેતુસર ધીરજલાલ પરેચાએ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવી રાહ ચીંધી છે.
- text
- text