ઉંચી માંડલના જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા ગાયોને 1 હજાર કિલો સુખડી ખવડાવાઈ

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલના જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા 1 હજાર કિલો સુખડી બનાવીને 12 જેટલી જુદી જુદી ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા ઢોલ-ત્રાસા વગાડીને તેમાં જે આવક થાય તેમાંથી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા 12 જેટલી ગૌશાળામાં ઘાસચારો આપવામાં આવે છે. સાથે જ બીમાર ગાયોની સારવાર પણ કરાવવામાં આવી રહી છે. ત્યારે હાલ જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા એક હજાર કિલો સુખડી બનાવવામાં આવી હતી અને વિવિધ ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવવામાં આવી હતી.

- text

- text