આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ લક્ષ્મીનગર ખાતે સાધના વિદ્યાલયમાં બાળ ઊર્જા વિકાસ દળ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સહકારથી આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ લક્ષ્મીનગર ખાતે સાધના વિદ્યાલયમાં આજે તા. 13-7-2024 ને શનિવારના રોજ વિદ્યાર્થીઓમાં ઊર્જા અંગે જાગૃતિ લાવવા માટે બાળ ઊર્જા વિકાસ દળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના વડા દિપેનભાઈ એલ. ભટ્ટ દ્વારા પ્રોજેકટર પ્રેઝેન્ટેશન વડે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. પ્રેઝેન્ટેશન પૂર્ણ થયા બાદ દિપેનભાઈ એલ. ભટ્ટે વિદ્યાર્થીઓની હળવી પરીક્ષા પણ લીધી હતી. પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને તેઓએ રોકડ રકમના પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. સૌ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ પડસુંબિયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ઊર્જા બચતના શપથ લેવડાવ્યા હતાં.

- text

- text