હળવદમાં પાટિયા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલમાં સ્માર્ટ ટીવીની ભેટ અપાઈ

- text


હળવદ : આજરોજ સ્વ. પુનરવસુભાઈ એચ. રાવલની 10મી માસિક પુણ્યતિથિ નિમિત્તે મનીષભાઈ રાવલ અને કેદારભાઈના હસ્તે પાટિયા ગ્રુપ દ્વારા હળવદની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરમાં 40 ઇંચના સ્માર્ટ ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું.

લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક મહારાજ, મનીષભાઈ રાવલ, કેદારભાઈ રાવલ, તપનભાઈ દવે, મેડિકલ ઓફિસર ડો.દર્શિતાબેન મણીયાર, ડોક્ટર મિલનભાઈ માલનપરા, ડો. અંકિત માલમપરાના હસ્તે ડાયાલિસિસ સેન્ટરમાં ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં હળવદ સરકારી હોસ્પિટલની ટીમ, પત્રકારો, ફોન વાલે મોબાઈલ સ્ટોર, અશ્વિન આદ્રોજા, દલવાડી સાહેબ, દસાડીયા સાહેબ, પંકજભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ વોરા, કમલેશભાઈ પટેલ, વિશાલભાઈ રાવલ, ભાવેશભાઈ ઠક્કર, દેથરીયાભાઈ, અજુભાઈ, વિશાલભાઈ દરજી, સુધાકરભાઈ જાની, મનીષભાઈ, શનિભાઈ ત્રિવેદી, મૌલિશભાઈ મહેતાએ સાથ સહકાર આપ્યો હતો. પાટિયા ગ્રુપ દ્વારા દાતા પરિવારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહંત દિપકદાસજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

- text