મોરબીના ઉમિયા આશ્રમે 21 જુલાઈએ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

- text


 

મોરબી : ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી નિમિત્તે તારીખ 21-7-2024 ને રવિવારના રોજ સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલા ઉમિયા આશ્રમ- સત્યનારાયણ ગૌ શાળા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ગુરુપૂજન યોજાશે. આ દરમિયાન સર્વે ભાવિકો માટે બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં પધારવા મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text