મોરબીના ભરતનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું 

- text


મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા પર્યાવરણ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે ભરતનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપ સરપંચ સવજીભાઈ સુરાણી સહકારી મંડળીના પ્રમુખ નવીનભાઈ ફેફર તથા ભરતનગર પી.એચ.ડી.ના કર્મચારીઓ તથા ભરતનગર ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ વૃક્ષારોપણ કાર્યક્રમને વેગ આપવા સહયોગ આપ્યો હતો.

- text