બગથળાના નકલંક મંદિરે ગુરુપૂર્ણિમાએ ગુરુ વંદના કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીની બાજુમાં આવેલા બગથળા ગામમાં નકલંક મંદિરમાં બિરાજમાન નેજાધારી નકલંક ભગવાનનાં સાનિધ્યમાં આગામી તારીખ 21 જુલાઈ ને રવિવારે ધામધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

ગુરુપૂર્ણિમાના દિવસે નકલંક મંદિરના મહંત દામજી ભગત સવારે 8 કલાકે મહા આરતી કરશે. તથા ત્યારબાદ ગુરૂ વંદના કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહંત દામજી ભગત તથા ટ્રસ્ટના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓએ ગુરુપૂર્ણિમાના આ કાર્યક્રમમાં પધારવા સૌ ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text