વઘાસીયા ગામની શાળાની સ્થાપનાને 80 વર્ષ પૂરા થતા કરાયું વૃક્ષારોપણ

- text


ગ્રામજનોએ 80 વૃક્ષો વાવી આચાર્યનો સંકલ્પ કર્યો પૂર્ણ

વઘાસીયા : વઘાસીયામાં આજ તા. 11-7-2024ના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. ગત પ્રવેશોત્સવ – 2024 નિમીતે આવેલ ઘારાસભ્ય જીતુભાઇ સોમાણીની, ટી.ડી.ઓ. કોંઢીયા, ટી.પી.ઇ. ઓ. વોરાની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણી, શિક્ષકો અને બાળકોએ આ વર્ષે વઘાસીયા શાળાની સ્થાપનાને 80 વર્ષ પૂરા થતા હોવાથી ગામમાં 80 મોટા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.

આચાર્ય અને શાળાના આ સંકલ્પને ગામના સરપંચ ઘર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર યુવા ભાજપ ઉપપ્રમુખ કે. બી. ઝાલાએ ઉત્સાહભેર ઉપાડી લીઘો હતો. ફકત 10 જ દિવસના ટુંકા ગાળામાં 80 પાંજરાની તેમજ 5 ફુટથી મોટા 80 વૃક્ષોની વ્યવસ્થા કરી લીઘી હતી. અને આ વૃક્ષો ગામની તળાવની પાળે, શકિત માતાના મંદિરે તેમજ સ્મશાનની જગ્યાએ વાવવામાં આવ્યા હતા.

વૃક્ષારોપણનું સમગ્ર આયોજન રાજપુત સેવા સમિતી, વઘાસીયા તથા વઘાસીયા શાળા ૫રીવારે કર્યુ હતું. આ વૃક્ષોને કાયમી પાણી પાવા માટે ટપક પઘ્ઘતિ અને પાણી કનેકશનની વ્યવસ્થા કરવાની જવાબદારી સરપંચ ઘર્મેન્દ્રસિંહ ઝાલાએ લીઘી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ કલ્યાણ અઘિકારી, પી.એસ.આઇ. પરમાર, ગામના ઉત્સાહી વડિલો એવા પ્રદિપસિંહ ઝાલા, બનેસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, રઘુભા ઝાલા, જયુભા ઝાલા, નિરુભા ઝાલા, હાજર રહયા હતા. આ ઉપરાંત ગામના યુવાનોમાં જયદિપસિંહ ઝાલા, એસ.પી. ઝાલા, જગદીશસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, તલાટી મંત્રી મહેશભાઇ વોરા, શિક્ષક નરેશભાઇ જગોદણાએ ભારે જહેમત ઉઠાવીને આ વૃક્ષારોપણની કામગીરી કરી હતી. તેમજ આ વૃક્ષો માટે સદભાવના આશ્રમ, રાજકોટ, વાંકાનેર નર્સરી અને વરડુસર નર્સરીએ વૃક્ષો તથા પાંજરાની યોગદાન આપેલ છે.

આમ ગામના એક શિક્ષકના સંકલ્પને સફળ બનાવવા વઘાસીયા ગામના સરપંચ, વડિલો, યુવાનો અને ગ્રામજનોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે. તે અન્ય ગામને પ્રેરણા અને ઉદાહરણ સમાન છે. મહત્વનું છે કે, પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કરેલું છે કે, ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે. આ વિચાર વઘાસીયા ગામના યુવકોએ સાર્થક કર્યો છે.

- text

- text