મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 23મીએ બહેનો માટે રાત્રી જાગરણ યોજાશે

- text


રાત્રી જાગરણમાં દાંડીયા રાસ, રમત – ગમત અને ફરાળી નાસ્તાનું આયોજન

મોરબી : શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા બ્રાહ્મણ સમાજની બહેનો માટે આગામી તારીખ 23-7-2024ને મંગળવારના રોજ પરશુરામ ધામ નવલખી રોડ મોરબી ખાતે જયા પાર્વતી રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

બ્રાહ્મણની દીકરીઓએ જયા પાર્વતી જાગરણ નિમિતે અન્ય જગ્યાએ જાગરણ માટે બહાર જવું ન પડે એ હેતુથી રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાગરણ રાત્રીના 10:30 કલાકથી શરૂ થશે. જેમાં દાંડીયા રાસ, રમત – ગમત અને ફરાળી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બ્રાહ્મણ સમાજની દીકરીઓને સહ પરિવાર સાથે આ રાત્રી જાગરણમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text