11 જુલાઈએ મોરબીમાં મોં ખોલવાની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 11 જુલાઈ ને ગુરુવારના રોજ મોં ખોલવાની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જો કોઈ વ્યક્તિ મોં ખોલવાની તકલીફથી પરેશાન હોય અથવા તમાકુ, ગુટખાને કારણે મોં જકડાઈ ગયું હોય તો મોં ખોલવાની સારવારનો ફ્રી નિદાન કેમ્પ 11 જુલાઈએ સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન મોરબીના રવાપર રોડ પર મામા ફટાકડા પાસે આવેલા સોમનાથ પ્લાઝામાં ત્રીજા માળે યોજાશે. આ કેમ્પનો લાભ લેવા સર્વેને જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 97278 41107 પર સંપર્ક કરવો.

- text

- text