મોરબીમાં 13 જુલાઈએ સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તારીખ 13-7-2024 ને શનિવારના રોજ સવારે 9 થી બપોરના 12:30 કલાક દરમ્યાન આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ, મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાશે.

- text

આ કેમ્પમાં (આયુર્વેદ) મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર અને (આયુર્વેદ) મેડિકલ ઓફિસર વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા સેવા આપશે. આ કેમ્પમાં ‘’ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. તથા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી,કૃમિ, કબજિયાત,મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.

- text