મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરાઈ

- text


મોરબી : મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. દિવ્યાંગ સુજલભાઈ રામભાઈ રાઠોડને દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને પ્રમુખ તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેનને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી.

- text

મહત્વનું છે કે, ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને અનાજ કીટ, આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા, કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે. દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે.

- text