મોરબી જિલ્લાના ખેડૂતોના વળતર પ્રશ્ને ધારાસભ્યો, સાંસદની હાજરીમાં મુખ્યમંત્રીને કરાઈ રજુઆત

- text


ગાંધીનગર ખાતે યોજાયેલી મિટિંગમાં સી.એમ.ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય ખાતે પાવર ગ્રીડ 765kvના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી : આજરોજ તારીખ 9 જુલાઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબીનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય ખાતે પાવર ગ્રીડ 765kvના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના ખેડૂતોના વળતર પ્રશ્નના સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી.

આ મિટિંગમાં મોરબીના માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના જમીનમાંથી નીકળતી વીજલાઇનના વળતર સંદર્ભે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તેના નિરાકરણ માટે ઊર્જા વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.

આ તકે સુરેન્દ્રનગરના સંસદસભ્ય ચંદુભાઈ સિહોરા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, મોરબી સંગઠનના હોદેદારો તથા મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારેજીયા, ઘાંટીલા સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, વેજલપર સરપંચ હરેશભાઈ કૈલા, વેજલપરના મહેશભાઈ કૈલા (મારૂતી), નંદલાલભાઈ કૈલા, નિતિનભાઈ કૈલા તથા અન્ય ખેડૂતોની ઉપસ્થિતિમાં રજુઆત કરાઈ હતી. ત્યારે ખેડૂતોના આ પ્રશ્નોનો ઝડપથી સંતોષકારક 10 દિવસમાં નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

- text

- text