મોરબીના રવાપર રોડ ઉપર સાત મહિના પૂર્વે જ લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત

- text


મોરબી : મોરબીન રવાપર – ઘુનડા રોડ ઉપર સંભારની વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક પરિણીતાના સાત માસ પહેલા જ લગ્ન થયાનું સામે આવ્યું છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે સંભારની વાડીમાં રહેતા લલિતાબેન અમરશીભાઈ પરમાર ઉ.22 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક લલિતાબેનના સાત માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text