- text
મોરબી : 7 જુલાઈ ને રવિવારના રોજ મોરબી શહેરમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. સમાજમાં ભાઈચારો અને એકતાનો સંદેશ પહોંચે તે હેતુ સાથે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. સાથે જ રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તોને પાણીની બોટલનું પણ વિતરણ કર્યું હતું.
- text
- text