મોરબીમાં હાર્ટએટેક આવી જતા યુવાન અને આધેડનું મૃત્યુ

- text


યુવાન માતાજીના મઢની સફાઈ કરતો હતો ત્યારે અને આધેડને પાંજરાપોળ નજીક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મૃત્યુ

મોરબી : નાની ઉંમરે હાર્ટએટેક આવવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીમાં બે અલગ અલગ બનાવમાં યુવાન અને આધેડનું હાર્ટએટેક આવતા અકાળે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના અકાળે અવસાન થવાના પ્રથમ કિસ્સામાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગરમાં રહેતા હીમાંશુભાઈ મહેશભાઈ નકુમ અષાઢી બીજના તહેવારને લઈ ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢની સફાઈ કરતા હતા ત્યારે ચક્કર આવ્યા બાદ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા કિસ્સામાં મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા અશોકભાઓ જયંતીલાલ ઉઘરેજા ઉ.55 નામના આધેડને પાંજરાપોળ નજીક અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અપમૃત્યુના બન્ને બનાવમા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text