કોલેરા ફેલાતા મોરબીમાં મોહરમ દરમ્યાન છબીલ તથા ન્યાજમાં તકેદારી રાખવા અપાયું સૂચન

- text


દૂધ કોલ્ડ્રીંક- સરબતમાં બરફનો ઉપયોગ ટાળવા, મંડપ માટે મામલતદાર કચેરીથી મંજૂરી મેળવવા સૂચન

મોરબી : હાલ મોહરમ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ઇમામ હુસેન કરબલાની યાદમાં ઠેક-ઠેકાણે છબીલ તથા ન્યાજ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન મોરબીના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ માટે મોરબી શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જિલાની દ્વારા ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું છે.

- text

યાદીમાં જણાવાયું છે કે, પ્રશાસન તરફથી આ વર્ષે સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તેના માટે બરફનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે. તમામ ઇમામે હુસેનના દિવાનાને ન્યાજ કરવા વાળા બરફને દૂધ કોલ્ડ્રીંક તથા સરબત ઠંડુ કરવા માટે બરફ અંદર ન નાખવા તથા બહાર બરફ રાખીને ઠંડુ કરવા અને સાફ સફાઈ પણ સરખી રાખવા જણાવ્યું છે. તેમજ તમામ છબીલ કરવાવાળા પ્રશાસન તરફથી મંડપ લગાવવાની મંજૂરી મામલતદાર કચેરીથી મેળવી લેવા અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા પણ ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જિલાનીએ યાદીમાં જણાવ્યું છે.

- text