સંસ્કૃત ભારતી મોરબી દ્વારા 7 થી 14 જુલાઈ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન

- text


મોરબી : સંસ્કૃત ભારતી- મોરબી દ્વારા આગામી તારીખ 7/7/2024 થી 14/7/2024 સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી-1 ખાતે રાત્રે 8 થી 9.30 કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે. આ સંસ્કૃત સંભાષણ વર્ગમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે.

આ વર્ગમાં દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે. આ વર્ગમાં જોડાવાથી ભગવદ ગીતાના શ્લોકોના અર્થ અને અન્ય સંસ્કૃત શ્લોકોના અર્થ સમજી શકાશે. મોરબી શહેરના 15 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ આ વર્ગનો લાભ લઈ શકે છે.

- text

સૌ સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મયુરભાઈ મો.નં. 98256 33154, હિરેનભાઈ- 97145 27036નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text