મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં 214 દર્દીઓએ લાભ લીધો, 102 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરાયા

મોરબી : ગુજરાતની જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા તારીખ 4-7-2024 ને ગુરુવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમ્યાન વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 214 દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત 102 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાય છે.

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. આ માસનો કેમ્પ સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ મંદિર ખાતે ગત 33 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 10269 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 4624 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાય છે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં – 98250 82468, નિર્મિતભાઈ કક્કડ- 99988 80588, હરીશભાઈ- 98792 18415, અનિલભાઈ સોમૈયા- 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text