મોરબીમાં 7 જુલાઈના એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 7 જુલાઈને રવિવારે સવારે 9 થી 11 કલાક દરમ્યાન વિનામૂલ્યે એક્યુપ્રેસર સારવાર કેમ્પ યોજાશે. આ મેમપમાં એક્યુપ્રેશર પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે.

આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. ઈશ્વરભાઈ મોટકા (પટેલ) આ ઉપરાંત હરીશભાઈ રાજાનાં જન્મ દિવસ નિમિતે
જલારામ મંદિર ખાતે પણ સાંજે 4:30 થી 6:30 કલાક સુધી ઇશ્વરભાઈ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.

- text

- text