મોરબી: મહેન્દ્રપરામાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી રસ્તા પર ઉભરાતા વેપારીઓમાં હાલાકી

- text


ગંદકીને કારણે લોકોમાં બીમાર પડે જવાબદાર કોણ ? પ્રશ્નો ઉઠ્યા

મોરબી : મોરબીમાં આવેલ મહેન્દ્રપરામાં મેઈન રોડ પર ગટર ઉભરાતી હોવાથી આસપાસના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટર ઉભરવાનો કારણે આ વિસ્તારમાં આસપાસ ગંદકી ફેલાઈ છે. જેથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે, આ વિસ્તારમાં ગટર ઉભરવાનો પ્રશ્ન કાયમીનો છે. ગટર ઉભરવાનો કારણે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વરે છે. આ પાણીમાંથી એટલી દુર્ગંધ આવતી હોય છે કે લોકોનું રસ્તા પરથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે ગંદકી ફેલાવાથી હાલાકીનો સામનો કરવો કરવો પડી રહ્યો છે. ત્યારે જો આ સમસ્યાનો હલ ન કરવામાં આવે તો ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે ત્યારે આ દરમ્યાન લોકોમાં બીમારી ફેલાઈ તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે

- text

- text