ધાંધિયાઃ મોરબીમાં બે દિવસથી BSNLનું મોબાઈલમાં નેટવર્ક ન આવતું હોવાની ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં BSNLના ગ્રાહકોને મોબાઈલમાં નેટવર્ક ન આવતું હોવાની સમસ્યા ઉભી થઈ છે. ગ્રાહકો છેલ્લા બે દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નથી ફોન આવી શકતાં કે નથી ફોન થઈ શકતો. નેટવર્ક સમસ્યાના કારણે BSNLના ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા છે.

મોરબીમાં સેવા સદન પાસે ગ્રીનલેન્ડ પાર્કમાં રહેતા એક ગ્રાહકો BSNL કસ્ટમર કેરમાં ફોન કરીને આ અંગેની ફરિયાદ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કસ્ટમર કેરમાં ફરિયાદ કરતાં ગ્રાહકને જણાવાયું હતું કે, રાજકોટમાં મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ છે અને સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી હોવાથી તમામ જગ્યાએ નેટવર્કની સમસ્યા આવી રહી છે. આ સમસ્યા ક્યારે હલ થશે તે અંગે પૂછતાં કસ્ટમર કેરમાંથી કોઈ ચોક્કસ સમયગાળો જણાવવામાં આવ્યો ન હતો. આમ નેટવર્ક વિના ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે.

- text

- text