મોરબીમાં 7 જુલાઈએ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 7 જુલાઈના રોજ પુષ્યનક્ષત્ર નિમિત્તે મોરબીમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.

સંસ્કૃતિ સંવર્ધન સંસ્થાનમ દ્વારા સંચાલિત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મોરબીમાં 30 કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ કેન્દ્રો પર 7 જુલાઈના રોજ પુષ્યનક્ષત્ર હોય 0 થી 15 વર્ષના બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. મોરબીમાં કલરવ હોસ્પિટલ, શનાળા રોડ, અવનિ ચોકડી, રવાપર રોડ, સ્વાગત ચોકડી, પંચાસર નગર, વાવડી રોડ, ઉમિયા સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નિલકંઠ વિદ્યાલય તેમજ સાર્થક સ્કૂલ પર સુવર્ણપ્રાશન કેન્દ્ર હોય ત્યાં નિઃશુલ્ક ટીપા પીવડાવવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 9664911182 અથવા 8140140014 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text