ટંકારના લજાઈ સ્થિત જોગ આશ્રમે 4 જુલાઈએ ભવ્ય સંતવાણીનું આયોજન

- text


ટંકારા : લજાઈ સ્થિત જોગ આશ્રમે આગામી તારીખ 4 જુલાઈ ને ગુરુવારના રોજ રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કુંડારીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

કુંડારીયા પરિવારના પુત્ર ધ્યાનના જન્મદિવસ નિમિત્તે જગદિશભાઈ ખીમજીભાઈ કુંડારીયા, સંજયભાઈ જગદિશભાઈ કુંડારીયા અને રવિભાઈ જગદિશભાઈ કુંડારીયા પરિવાર દ્વારા 4 જુલાઈ ને ગુરુવારે રાત્રે 9 કલાકે લજાઈના જોગ આશ્રમે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક ગોપાલ સાધુ અને સાહિત્ય કલાકાર રાજભા ગઢવી સંતવાણીમાં જમાવટ કરશે. આ પ્રસંગે બપોરે 3 કલાકે લજાઈ આશ્રમે ગુરુપૂજન કાર્યક્રમ, સાંજે 5 થી 6 કલાકે રમત-ગમત સ્પર્ધા અને સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને મહેમાનો પણ હાજરી આપશે.

- text

- text