- text
મોરબી : મોરબીમાં આવેલી આલાપ સોસાયટીમાં વીજ તંત્ર દ્વારા આડેધડ વૃક્ષો કાપી નાખતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
મહત્વનું છે કે, દર વર્ષે વીજ તંત્ર દ્વારા વીજ લાઈનમાં નડતરરૂપ હોય તેવા વૃક્ષોને કાપવામાં આવતા હોય છે. પરંતુ મોરબીની આલાપ સોસાયટીમાં વીજ તંત્ર દ્વારા થડમાંથી જ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. નડતરરૂપ ડાળીઓ કાપવાની જગ્યાએ વીજ તંત્ર દ્વારા વૃક્ષોને થડમાંથી જ કાપી નાખવામાં આવ્યા છે. એક તરફ વૃક્ષ વાવો અને વૃક્ષ બચાવો અભિયાન ચલાવીને વધુ ને વધુ વૃક્ષ ઉછેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તરફ આલાપ સોસાયટીમાં આ રીતે આડેધડ વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)