‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય પર મોરબીમાં શુક્રવારે યોજાશે પ્રવચન

- text


મોરબી : ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય પર આગામી તારીખ 5 જુલાઈ ને શુક્રવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન મોરબીના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપ નજીક આવેલા શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GIVEના ફાઉન્ડર અને ચેરમેન ડો. વૃંદાવન ચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય પર રસપ્રદ પ્રવચન આપશે. સાથે જ સત્સંગમાં ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન અને સવાલ-જવાબ સહિતના સેશન યોજાશે. આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો મોરબીવાસીઓને આ પ્રવચનનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text