મોરબીના જલારામ મંદિરે 4 જુલાઈએ વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


આ કેમ્પમાં તપાસ માટે દર્દીએ આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય

મોરબી : મોરબીમાં સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવારના સહયોગથી તારીખ 4-7-2024 ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામૂલ્યે સર્વજ્ઞાતિય નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. મહત્વનું છે કે, સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે યોજાઈ રહ્યો છે.

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

- text

દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત 33 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 10,269 લોકોએ લાભ લીધો હતો. તેમજ 4624 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા. ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.નં. 98250 82468, નિર્મિતભાઈ કક્કડ- 99988 80588, હરીશભાઈ રાજા- 98792 18415, અનિલભાઈ સોમૈયા- 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text