બ્રેકના બદલે લિવર દબાઈ જતાં માટેલ ધરામાં કાર ખાબકી

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર નજીકના માટેલીયા ધરામાં આજે એક કાર ખાબકી હતી. બ્રેક મારવાના બદલે લિવર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે આજે સાંજના સમયે રાજકોટ તરફથી માટેલ ખોડીયાર માતાજીના દર્શને ત્રણ મહિલા અને એક પુરુષ કાર લઈને આવ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે બ્રેક મારવાના બદલે ભુલથી લિવર દબાવી દેતાં કાર દિવાલ કુદાવીને માટેલીયા ધરામાં ખાબકી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા નથી પામી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text