જેતપર ગામે શાળાના 500 જેટલા છાત્રોને દાતાઓ દ્વારા સ્કુલબેગનું વિતરણ કરાયું

- text


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબી : મોરબી તાલુકાના જેતપુર (મચ્છુ) ગામની કન્યા તાલુકા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં જેતપુરના રહીશ અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારા તથા તેમના પુત્ર જૈમિન અલ્પેશભાઈ અઘારા તરફથી જેતપુર કન્યા તાલુકા શાળા અને જેતપુર કુમાર પ્રાથમિક શાળાના બાલવાટિક અને ધોરણ 1 થી 8માં ભણતા બાળકોને કુલ મળી 500 સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તેમના દ્વારા રૂપિયા 1,03,000 હજારનું વસ્તુ સ્વરૂપે દાન આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જે બદલ બંને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text