- text
મોરબી : 220 કેવી લાલપર સ/સ માં ફરજ બજાવતા એપીઓ એમ.કે. નાયકપરા વયમર્યાદાના કારણે ફરજ પરથી નિવૃત્ત થતા હોય તેમના નિવૃત્તિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું..
વિદાય સમારંભના અધ્યક્ષ કાર્યપાલક ઈજનેર એ. કે. પટેલના હસ્તે એમ.કે. નાયકપરાને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ અધિકારી, સ્ટાફ મિત્રો, એજીવીકેએસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. લાલપર સ/સ ના કર્મચારીઓએ એમ.કે. નાયકપરાને ગિફ્ટ આપી શુભેચ્છા પાઠવી હતી. એજીવીકેએસ સંચાલિત કાર્યક્રમનું સંચાલન ગોસાઈભાઈ, ભગદેવભાઈ, જોષીભાઈએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન લઈ છુટ્ટા પડ્યા હતા.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)