- text
માળિયા (મિ.) : સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક ધનજીભાઈ પ્રભુભાઈ કાલરિયાએ વિવિધ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહત્વનું છે કે, ધનજીભાઈ કાલરિયા દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળા, નવા દેરાળા અને નંદનવન પ્રાથમિક શાળા અને સરવડ કુમાર/ કન્યા અને સરદાર નગર પ્રાથમિક શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શાળા પરિવાર તરફથી ધનજીભાઈ કાલરિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)