ટંકારાના વાછકપર ગામે બેભાન થયેલા મહિલાનું સારવારમાં મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે ગત તા.23 જુનના રોજ વહેલી સવારે પોતાના ઘેર બેભાન બની ગયેલા કંચનબેન અશોકભાઈ અગ્રાવત ઉ.46 નામના પરિણીતાને સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text